✨"જનસેવા એજ પ્રભુસેવા" ને પોતાનું જીવનમંત્ર બનાવનાર માનવતા પ્રેમી માણસ.✨
" સેવા ધરમ ની ઉજળી પરંપરા " થોડા દિવસ પહેલા એક સરસ મજાની ભેટ આવી.આ ભેટ માં પૂજ્ય જલારામ બાપાનું પોકેટ ટેમ્પલ હતું.હું મારા મોટા ભાગના લેખો મારા જીવનના અનુભવો ને આધારે લખતી હોવ છું.આજે આ પૉકેટ ટેમ્પલ જોઈને જલારામ બાપા વિશે થોડું લખવાનું મન થયું.ત્યાં કુદરત નો અનોખો સંયોગ રચાયો આજે એમની જન્મજયંતી પણ છે.પૂજ્ય જલારામ બાપા ને કોઈ એક જ જ્ઞાતિ ના સંત તરીકે ગૌરવ ન લેતા સમગ્ર સોરઠની અને એનાથી વિશેષ જગતની સંત પરંપરા ને ઉજળી કરનાર ને એમની જન્મ જયંતિ પર સ્મરણાંજલિ.🙏 રામકૃષ્ણ પરહંસે માયા અને દયા વચ્ચેનો સૂક્ષ્મ ભેદ સમજાવ્યો છે.માયા એટલે બધા સગા વહાલા પ્રત્યેનું ખેંચાણ.તેમજ જનસેવા એજ પ્રભુસેવા ની ભાવના એટલે દયા. ભક્તિ એ બતાવવાની નહિ પણ અનુભવવાની બાબત છે. સંસારમાં રહીને જેમણે ભક્તિનો કઠિન માર્ગ પસંદ કર્યો હતો આ સંતો માં સ્વાતિ નક્ષત્ર જેવું ઉજળું નામ એ સંત જલારામ બાપાનું લેવાય છે.રાજકોટ થી થોડા કિલોમીટરના અંતરે આવેલું નાનકડું ગામ વીરપુર આજે જલારામ બાપાને કારણે દેશ વિદેશમાં જાણીતું બન્યું છે. ~પરિચય~ ...